મન ની વાત

ખોટા વખાણ નો મને શોખ નથી,
કડવી સચાઈ માં મને વધારે મીઠાશ લાગે છે…

ધર્મ કે જાતિ ના ભેદ માં હું માનતો નથી,
કર્મો અને વિચારો થી જ  માણસ ની પરખ થાય છે…

ના સમજ એ કે જેને સ્વભાવ ની સુંદરતા માં રસ નથી,
દેખા-દેખી માં જીવતા એવા જીવ પર મને દયા આવે છે…

હશે, લોકો ને સુધારવા એ તારા બસ માં નથી “જીગર”
અનુભવ અને સમય શ્રેષ્ઠ શિક્ષક છે એમ માનવામાં જ ભલાઈ લાગે છે…

– જીગર બ્રહ્મભટ્ટ

1 thoughts on “મન ની વાત

Leave a comment