ખોટા વખાણ નો મને શોખ નથી,
કડવી સચાઈ માં મને વધારે મીઠાશ લાગે છે…
ધર્મ કે જાતિ ના ભેદ માં હું માનતો નથી,
કર્મો અને વિચારો થી જ માણસ ની પરખ થાય છે…
ના સમજ એ કે જેને સ્વભાવ ની સુંદરતા માં રસ નથી,
દેખા-દેખી માં જીવતા એવા જીવ પર મને દયા આવે છે…
હશે, લોકો ને સુધારવા એ તારા બસ માં નથી “જીગર”
અનુભવ અને સમય શ્રેષ્ઠ શિક્ષક છે એમ માનવામાં જ ભલાઈ લાગે છે…
– જીગર બ્રહ્મભટ્ટ
bau j mast lakhyu 6.. tari shreshthatam rachna ma ni ek 6 mara mujab..!!